બોરોનના અગત્યના વલણો અને અનિયમિત (વિસંગત) ગુણધર્મો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સમૂહ$-13$નાં તત્ત્વોના ટ્રાયક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો તેઓના સહસંયોજક સ્વભાવને કારણે પાણીમાં જળવિભાજન પામે છે , જલીય માધ્યમમાં બોરોન સિવાય અન્ય તત્ત્વો સમચતુષ્કલકીય $[M(OH)_4^-$ અને અષ્ટફલકીય $[M(H_2O)_6]^{+3}$ સ્પિસીઝ તરીકે અસ્તિત્વ ધરાવે છે.

$e^-$ ની ઊણપના કારણે મોનોમર સ્વરૂપના ટ્રાયહેલાઇડ સંયોજનો પ્રબળ લૂઈસ ઍસિડ તરીકે હોય છે.

બોરોન ટ્રાયક્લોરાઇડ$NH_3$ જેવા લૂઈસ બેઇઝ સાથે સરળતાથી પ્રક્રિયા કરી બોરોનની આસપાસ સંપૂર્ણ અષ્ટક રચના બનાવે છે.

બોરોનમાં $d-$કક્ષકોની ગેરહાજરીને કારણે $B$ની મહત્તમ સહસંયોજકતા $4$ હોય છે, જ્યારે $Al$ અને અન્ય તત્ત્વોમાં તે-કક્ષકોની હાજરી હોવાના કારણે તેમની મહત્તમ સહસંયોજકતા $4$ થી વધુ હોઈ શકે છે.

મોટા ભાગે ધાતુ હેલાઇડ સંયોજનો (દા.ત. $AlCl_3)$ હેલોજન સેતુ દ્વારા ડાયમર (દા.ત. $Al_2Cl_6$)બનાવે છે.

આ હેલોજન સેતુવાળા અણુઓમાં ધાતુ સ્વિસીઝ હેલોજન પાસેથી ઇલેક્ટ્રૉન સ્વીકારીને તેનું અષ્ટક પૂર્ણ કરે છે.

Similar Questions

$AlCl_3$ નું વાયુ અવસ્થાનું બંધારણ આપો.

નીચેના પૈકી કોનુ બંધારણ ગ્રેફાઇટને સમાન છે ?

  • [NEET 2013]

બોરેક્સનો ઉપયોગ લખો.

નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A :$ બોરીક એસિડ એક નિર્બળ એસિડ છે.

કારણ $R :$ બોરીક એસિડ પોતાની રીતે $H ^{+}$ આયનને મુક્ત કરી શકતો નથી. તે પાણી પાસેથી $OH ^{-}$ મેળવે છે અને $H ^{+}$આયન મુક્ત કરે છે.

ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2022]

હાઈડ્રોલિસિસ પર $AlCl_3$ શું આપે છે ?